રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1 હજાર 334 કેસ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ સુરતમાં 278 કેસ નોંધાયા છે.
જ્યારે
◆ અમદાવાદ : 175
◆ રાજકોટ : 151
◆ વડોદરા : 131
◆ જામનગરમાં : 120
◆ ગાંધીનગર : 39
◆ જૂનાગઢ : 39
◆ પાટણમાં : 35 કેસ નોંધાયા છે.
● છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 255 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે..
● છેલ્લા 24 કલાકમાં કુલ 71 હજાર 507 ટેસ્ટ કરવામાં આવ્યા છે
★ રાજકોટમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
◆ પહેલા રાજકોટની સોની બજારના વેપારીઓ દ્વારા એક અઠવાડિયા માટે લોકડાઉન જાહેર કરાયું હતું. તો આજથી દાણાપીઠ વેપારી એસોસિયેશન દ્વારા એક અઠવાડિયા માટે રોજ અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું.
★ રાજકોટના દિવાનપરા કલોથ એસોસિએશન દ્વારા પણ ,એક સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.
★ આવતીકાલથી એક સપ્તાહ માટે ,દિવાનપરા કલોથ એસોસિએશન સાથે જોડાયેલા 200થી વધુ વેપારીઓ ,સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો